Psalms 15
1હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે?તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?
2જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે
અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.
3તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, બીજાનું ખરાબ કરતો નથી,
પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.
4તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે.
તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી.
તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી.
જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી.
એવાં કામ કરનાર કદી ડગશે નહિ.
5
Copyright information for
GujULB